પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના PMJJBY, ફક્ત 330 રૂપિયામાં બે લાખ રૂપિયાનો જીવન વીમો મેળવો

Pradhan Mantri Jivan Jyoti Bima Yojana Full Information In Gujarati
ઇમેજ સ્ત્રોત : દિવ્યભાસ્કર

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકોને નજીવા દરે અને સરળ રીતે જીવન વીમાની સુરક્ષા પહોંચાડવાનો છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને અન્ય ખાનગી વીમા કંપનીઓના માધ્યમથી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો મારફતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો અમલ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા ધારક વ્યક્તિ 55 વર્ષની ઉંમર સુધીમાં કોઈપણ કારણસર મૃત્યુ પામે છે તો PMJJBY યોજના હેઠળ, તેમના વારસદારોને સરકાર દ્વારા રૂ. 2 લાખનો જીવન વીમો મળશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ ભારત સરકારની ખૂબ જ સારી પહેલ છે, તે માત્ર ગરીબ અને વંચિત લોકોને ફક્ત વીમો જ નહીં પરંતુ તેમના વારસદારોને તેમના અવસાન બાદ પણ ઉજ્જવળ ભવિષ્યની તક આપે છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં (PMJJBY) BPL સહિત તમામ આવક જૂથના નાગરિકો માટે પ્રીમિયમનો દર એકસરખો અને દિવસના એક રૂપિયા કરતાં પણ ઓછો છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ વીમા કવચ પ્રીમિયમ ભર્યા તારીખથી 31મી મે સુધી રહેશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) માં વીમો ખરીદવા માટે કોઈ તબીબી તપાસ જરૂરી નથી.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નો લાભ કોને મળે?

ભારત દેશના ઓછામાં ઓછી ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની ઉંમર ધરાવતા કોઈપણ વ્યક્તિને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નો લાભ મળે છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નો લાભ ક્યાં સુધી મળે છે?

વિમાધારકના બેંક અથવા પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાંથી જ્યાં સુધી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું (PMJJBY) પ્રીમિયમ રેગ્યુલર ઓટો ડેબિટ થાય છે ત્યાં સુધી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો (PMJJBY) લાભ મળે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની પરિપક્વતા વિમાધારકની 55 વર્ષની ઉંમરે થાય છે પરંતુ વીમો 50 વર્ષની ઉંમર સુધી લઈ શકાય છે એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો (PMJJBY) લાભ વિમાધારકની 55 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મળે છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું (PMJJBY) પ્રીમિયમ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું (PMJJBY) વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રથમ પ્રીમિયમ રોકડ અથવા વીમાધારકના સેવિંગ ખાતામાંથી ઓટો ડેબીટના માધ્યમથી સ્વીકારવામાં આવશે. પ્રથમ પ્રીમિયમ સ્વીકાર્યા બાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી ધારકના બેન્ક અથવા પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાંથી દર વર્ષે મેં મહિનાની 31મી તારીખે 330 રૂપિયાનું પ્રીમિયમ ઓટો-ડેબિટના માધ્યમથી લેવામાં આવશે. જેથી ગ્રાહકના બેન્ક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં મેં મહિનાની 31મી તારીખે ઓછામાં ઓછામાં 330 રૂપિયા હોવા જરૂરી છે નહીં તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો (PMJJBY) વીમો રીન્યુ થશે નહીં.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો વેઇટિંગ પિરિયડ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો વેઇટિંગ સમયગાળો પ્રથમ પ્રીમિયમ ભર્યાની તારીખથી 30 દિવસ સુધીનો છે. વેઇટિંગ સમયગાળામાં ફક્ત આકસ્મિક મૃત્યુમાં જ વીમા રકમ મળવા પાત્ર રહેશે. વેઇટિંગ પિરિયડ પૂરો થયા બાદ આ યોજના સક્રિય થશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રીમિયમ કોઈપણ જાતના બ્રેક વગર ઓટો રીન્યુ થાય છે તો બીજા વર્ષથી વેઇટિંગ પિરિયડ લાગુ પડતો નથી.

બેંકમાં ગયા વગર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મેળવવા શુ કરવું?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ બેંક ઉપરાંત પોસ્ટ ઓફિસમાં પણ મળે છે. પોસ્ટ ઓફિસની ખાસિયત એ છે કે અહીંયા પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક તમારા ઘરે આવીને તમને વીમો ઉતારી આપે છે. જેમાં તમારે કોઈપણ પ્રકારના ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી. પોસ્ટ ઓફિસના કર્મચારી તમારી આંગળીઓની છાપ લઈને તમને ગણતરીની મિનિટોમાં ઘરે બેઠા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો ઉતારી આપે છે. જેની કોઈ ફી તમારે અલગથી આપવાની રહેતી નથી.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાંથી બહાર નીકળી ગયા બાદ ફરીથી જોડાઈ શકાય?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાંથી બહાર નીકળેલી કોઈપણ વ્યક્તિ ફરીથી આ યોજનામાં જોડાઈ શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ફરી જોડાવા માટે પ્રીમિયમની રકમ ચૂકવવાની રહેશે અને સ્વાસ્થ્ય સંબંધિત સ્વ-ઘોષણા સબમિટ કરવાની રહેશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રથમ પ્રીમિયમ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રથમ પ્રીમિયમ તમે વીમો ક્યારે લો છો તે સમયગાળાને આધારે નક્કી થતું હોય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રીમિયમની ગણતરી દર ત્રણ મહિનાના 86 રૂપિયાના હિસાબે ગણવામાં આવે છે અને પ્રીમિયમ વાર્ષિક લેવામાં આવે છે. જેમાં નાણાંકીય વર્ષ જૂનમાં શરૂ થાય છે અને મેં મહિનામાં પૂરું થાય છે.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રથમ પ્રીમિયમ ગણતરી નીચે મુજબ પ્રથમ થાય છે.

  • જો PMJJBY જૂનથી ઓગસ્ટના સમયગાળામાં લેવામાં આવે તો પ્રથમ પ્રીમિયમ 330 રૂપિયા થાય.
  • જો PMJJBY સપ્ટેમ્બરથી નવેમ્બરના સમયગાળામાં લેવામાં આવે તો પ્રથમ પ્રીમિયમ 258 રૂપિયા થાય.
  • જો PMJJBY ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળામાં લેવામાં આવે તો પ્રથમ પ્રીમિયમ 172 રૂપિયા થાય.
  • જો PMJJBY માર્ચથી મે મહિનાના સમયગાળામાં લેવામાં આવે તો પ્રથમ પ્રીમિયમ 86 રૂપિયા થાય છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments