કિસાન પરિવહન યોજનાની સંપૂર્ણ માહિતી

કિસાન પરિવહન યોજના ગુજરાત
SOURCE : INTERNET

કિસાન પરિવહન યોજનાની વિગતવાર માહિતી

કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડુુતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના શરૂ કરેલ છે. કિસાન પરિવહન યોજના ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.


કિસાન પરિવહન યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

રાજયનો કોઇ પણ ખેડૂત કિસાન પરિવહન યોજનાનો લાભ લઇ શકે છે.
ખેડૂતો પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ કિસાન પરિવહન યોજનાની સહાય લઇ શકે છે.
કિસાન પરિવહન યોજનામાં ખેતીવાડી ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ મોડલ ખરીદવાનું રહે છે.


કિસાન પરિવહન યોજનાનો લાભ કોને મળી શકે?

કિસાન પરિવહન યોજના હેઠળ નીચે મુજબ બે કેટેગરીમાં સહાય આપવામાં આવે છે.


કેટેગરી ૧) :
કિસાન પરિવહન યોજના હેઠળ નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બેમાંથી ઓછુ હોય તે


કેટેગરી ૨):
કિસાન પરિવહન યોજના હેઠળ સામાન્ય/અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે.


કિસાન પરિવહન યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.

ખેડૂત ખાતેદાર કિસાન પરિવહન યોજનાના સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.

કિસાન પરિવહન યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે.

કિસાન પરિવહન યોજનાનો અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

અરજી : કિસાન પરિવહન યોજનાની અરજી આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન કરવાની રહે છે.

ઠરાવ: કિસાન પરિવહન યોજનાનો ઠરાવ ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેમની વેબસાઈટ પર જવા માટે અહિયાં ક્લિક કરો.


કિસાન પરિવહન યોજના અરજી આઇ-ખેડૂત પોર્ટલ ઉપર કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે. કિસાન પરિવહન યોજના યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. આઈ ખેડૂત પોર્ટલ પર જવા માટે અહીંયા ક્લિક કરો.


કિસાન પરિવહન યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવા અહીંયા ક્લિક કરો

કિસાન પરિવહન યોજના
કિસાન પરિવહન યોજના

Post a Comment

0 Comments