જીવામૃત બનાવવાની સૌથી સરળ રીત

એક એકર જમીન માટે ૧૦ કિ.ગ્રા. છાણ ની સાથે ગૌમૂત્ર, ગોળ અને દ્વિદળી (કઠોળ) બીજનો લોટ અથવા ચણાનો લોટ બધું ભેળવીને ઉપયોગમાં લેવાથી ચમત્કારિક પરિણામ મળે છે. આશરે એક ફોર્મુલા તૈયાર કરવામાં આવી તેનું નામ રાખવામાં આવ્યું. જીવામૃત (જીવ અમૃત).
જીવામૃત બનાવવાની રીત
SOURCE : INTERNET

જીવામૃત બનાવવા માટે જરૂરી સામગ્રી 

1. દેશી ગાયનું છાણ 10 કિ.ગ્રા.
૨. દેશી ગાયનું મૂત્ર 8-10 લીટર
3. ગોળ 1.5 થી 2 કિ.ગ્રા.
4. ચણાનો લોટ 1.5 થી 2 કિ.ગ્રા.
5. પાણી 180 લીટર
6. ઝાડની નીચેની 500 ગ્રામ માટી

જીવામૃત બનાવવાની રીત

જીવામૃત બનાવવા માટે ઉપર દર્શાવેલ સામગ્રીને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના ડંડાથી મિશ્ર કરવું અને આ મિશ્રણને બે થી ત્રણ દિવસ સુધી સડવા માટે છાયામાં મૂકી દેવું. દરરોજ બે વાર સવાર-સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના ડંડાથી બે મિનીટ ફેરવવું અને જીવામૃત કોથળાથી ઢાંકી દેવું. એનો સડવાથી એમોનિયા, કાર્બન ડાઇઓક્સાઇડ, મિથેન કેવા હાનિકારક વાયુનું નિર્માણ થાય છે.

ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધીમાં ઉપયોગમાં લઈ લેવું જોઈએ અને શિયાળામાં ૮ થી ૧૫ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર બાદ વધેલું જીવામૃત જમીન પર ફેંકી દેવું જોઇએ.

ડિસેમ્બર મહિનામાં તૈયાર કરવામાં આવેલ જીવામૃત ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન કરેલ જેમાં જીવામૃત તૈયાર કર્યાના 14 દિવસ પછી વધુમાં વધુ 7400 કરોડ જીવાણુંઓ (બેક્ટરિયા) જોવા મળ્યા હતાં. તે પછી તેની સંખ્યા ઘટવાની શરૂ થઈ, ગોળ અને ચણાનો લોટ બંનેએ જીવાણુંઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છાણ, ગૌમુત્ર અને માટીને ભેળવવાથી જીવાણુંઓને સંખ્યા ફક્ત ત્રણ લાખ જોવા મળેલ. જયારે તેમાં ચણાનો લોટ ભેળવ્યો તો તેની સંખ્યા વધીને 25 કરોડ થઇ ગઇ અને જ્યારે આ ત્રણમાં ચણાના લોટની જગ્યાએ ગોળ ભેળવવામાં આવ્યો ત્યારે આ સંખ્યા 220 કરોડ થઇ ગઇ, પણ જયારે ગોળ અને ચણાનો લોટ બંને ભેળવવામાં આવ્યા અર્થાત જીવામૃતના બધા ઘટકો (છાણ, ગૌમુત્ર, ગોળ, ચણાનો લોટ, અને માટી) ભેળવવામાં આવ્યા ત્યારે આશ્ચર્યજનક પરિણામ સાથે આવ્યા અને જીવાણુંઓની સંખ્યા વધીને 7400 કરોડ થઇ ગઇ. 

આ જીવામૃત જયારે પિયત સાથે ખેતરમાં આપવામાં આવે ત્યારે જમીનમાં જીવાણુંઓને સંખ્યા અવિશ્વસનીય રીતે વધે છે અને જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં વધારો થાય છે.
Khedut Help
Khedut Help

Post a Comment

0 Comments